Posts

Showing posts with the label મેલેરિયા મગજ પર કેવી અસર કરે છે?

મેલેરિયા મગજ પર કેવી અસર કરે છે? ભારતીય સહીત વૈજ્ઞાનિકોની ટીમે ભેદ ઉકેલ્યો

Image
આ ઘાતકી બીમારી બાળકો અને પુખ્ત વ્યક્તિઓમાં કેવો પ્રભાવ પાડે છે, તેનું સંશોધન પૂર્ણ  ગુજરી ગયેલા અને બચી ગયેલાઓના મગજને એમઆરઆઈ ફોટોની મદદની અભ્યાસ કર્યો હતો     (પીટીઆઈ)  નવી દિલ્હી, તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૦, બુધવાર  મેલેરિયા વ્યક્તિના મગજ પર કેવી રીતે અસર કરે છે તેવા એક સો વર્ષના રહસ્યને કોઈ ઉકેલી શક્યો નહતો પરંતુ ભારતીય વૈજ્ઞાનિકના નેતૃત્વ હેઠળની સેન્ટર ફોર સ્ટડી ઓફ કોમ્પલેક્ષ મેલેરિયા, ઓડીશા સહિતની એક ટીમે ઉકેલી લીધો હતો. તેમને મગજના ફોટોની ટેકનિકની મદદથી આ રહસ્ય ઉકેલ્યો હતો. સંશોધકો અનુસાર,સેરેબ્રેલ  મેલેરિયા ખુબ જ જીવલેણ હોય છે. તેમાં રહેલા પ્લાસમોડીયમફાલ્સીપારમ મચ્છર દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી ચેપ ફેલાવે છે. આવી બીમારી ધરાવતા લોકો પૈકીના પાંચ જણા સારવાર લીધા  પછી પણ ગુજરી જાય છે. પરંતુ બચી ગયેલાઓમાં ન્યુરોકોગનીટીવ અસર રહે છે. મગજ પર મલેરિયાની  અસરના રહસ્યે વૈજ્ઞાનિકોને એક સો વર્ષથી મૂંઝવણમાં મુક્યા હતા. બુધવારે એક સામયીકમાં પ્રસિધ્ધ થયેલા સંશોધનના અંશોમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે અભ્યાસમાં આધુનિક એમઆરઆઈ સ્કેનથી ગુજરી ગયેલા વિવ...